ઘર કામ કરવા જવા બાબતે તકરાર થતા પતિ વિફર્યો
જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતા એક મહિલા પર તેના પતિએ છરી વડે હુમલો કરી દેતાં તેણીને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાઇ છે, જ્યારે પોલીસે હુમલાખોર પતિ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના રાવલસર-સરમત પાટીયા પાસે રહેતી માણસીબેન ઉર્ફે લક્ષ્મી અજમલભાઈ રાજાણી નામની ૩૫ વર્ષની ચારણ યુવતી પર ગઈકાલે તેણીનાજ પતિ અજમલ લુણાભાઈ રાજાણીએ છરી વડે હુમલો કર્યો હતો. જેથી તેણીએ પતિને રોકવાનો પ્રયાસ કરતાં હાથમાં છરીના બે ઘા મારી દેતા ઇજા થયેલી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને માણસીબેનનું નિવેદન નોંધતાં તેણીએ પતિ અજમલ લુણાભાઈ રાજાણી સામે હુમલાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીને ઘર કામ કરવા જઈ રહી હતી, દરમિયાન તેણીના પતિએ ઘરકામ કરવા જવાની ના પાડી હતી, દરમ્યાન આરોપીએ અપશબ્દો બોલી ઉશ્કેરાઇને છરી વડે હાથના ભાગે તેણીને ઇજા પહોચાડી હતી અને ધમકી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech