જામજોધપુરના માંડાસણ ગામે પતિનો પત્ની ઉપર તલવારથી હુમલો

  • October 05, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરના માંડાસણ ગામે આંગણવાડી કેન્દ્રમાં વર્કર તરીકે કામ કરતી મહિલા ઉપર આંગણવાડીમાં ઘસી આવેલા પતિએ તલવારથી હુમલો કરતા મહિલાને ગંભીર ઈજાઓ થવાથી લોહીલુહાણ થઇ હતી. મહિલાનો પતિ ભાગે પહેલા જ દોડી આવેલા લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટામાં આમ્રપાલી સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહેતા અને જામજોધપુરના માંડાસણ ગામે સાસરું ધરાવતા ત્યાંજ આંગણવાડીમાં વર્કર તરીકે કામ કરતા રસીલાબેન વિપુલભાઈ મકવાણા (ઉ.વ.34) નામના મહિલા ગઈકાલે માંડાસણ ગામે આંગણવાડીએ હતા ત્યારે પતિ વિપુલ પ્રેમજીભાઈ મકવાણા ત્યાં તલવાર લઈને આવી ગાળાગાળી કરી તલવાર વડે આડેધડ હુમલો કર્યો હતો. જેમાં મહિલાને હાથે, માથે, આંખ સહિતના ભાગે ઇજા થતા લોહી લુહાણ થયા હતા,. દેકારો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પતિ વિપુલ ભાગે પહેલા જ પકડી લઇ પોલીસને જાણ કરી સોંપતા શેઠ વડાલા પોલીસએ કાર્યવાહી કરી હતી. જયારે મહિલાને વધુ સારવારની જરૂર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે રસિલાબહેનના પરિવારજનોના કહેવા મુજબ રસીલાબેનના લગ્ન 15 વર્ષ પહેલા વિપુલ સાથે થયા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. વિપુલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી દારૂના નશામાં ઘરે આવી ત્રાસ આપતો હતો. આથી કંટાળી રસીલાબેન સંતાનોને લઇ ઉપલેટા માતા-પિતાને ત્યાં રહેવા આવી ગયા હતા. હાલમાં પોતે મકાન અલગ રાખીને રહે છે અને સંતાનો નાના-નાની સાથે રહે છે. રસીલાબેન રિસામણે હોઈ તે પરત આવતા ન હોવાથી તેની ખીજમાં પતિએ આવી હુમલો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application