જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ તેમજ ઉપસરપંચને રૂપિયા ૬૦,૦૦૦ ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા પછી બંનેને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા, જેઓની રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલમાં ધકેલી દેવાયા છે.
જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ મનસુખભાઈ નાથાભાઈ ચાવડા તેમજ ઉપસરપંચ રામજીભાઈ ભીમજીભાઈ કણજારીયા બંનેને જામનગર એ.સી.બી. ની ટીમે શનિવારે મોડી સાંજે લાલ બંગલા સર્કલ માંથી રૂપિયા ૩૦-૩૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, જે બંનેની લાંચ રૂશ્વત ધારા હેઠળ ધરપકડ કરી લેવાયા પછી અદાલત સમગ્ર રજૂ કરી બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
જે રિમાન્ડ દરમિયાન આગળની તપાસ સુરેન્દ્રનગર એસીબીની ટીમ દ્વારા ચલાવવામાં આવી હતી, અને બન્ને ના રહેણાંક મકાનો વગેરે સ્થળે તપાસણી કરવામાં આવી હતી. જોકે તેઓ પાસેથી વધુ કશું વાંધાજનક મળ્યું ન હતું. દરમિયાન તેની રિમાન્ડની મુદત પૂર્ણ થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરાયા હતા, અને અદાલતે બંનેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech