લાંચ કેસમાં શેખપાટ ગામના સરપંચના પતિ અને ઉપસરપંચ જેલમાં ધકેલાયા

  • December 12, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ તેમજ ઉપસરપંચને રૂપિયા ૬૦,૦૦૦ ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા પછી બંનેને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા, જેઓની રિમાન્ડની મુદત પૂરી થતાં બંનેને જેલમાં ધકેલી દેવાયા છે.
જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ મનસુખભાઈ નાથાભાઈ ચાવડા તેમજ ઉપસરપંચ રામજીભાઈ ભીમજીભાઈ કણજારીયા બંનેને જામનગર એ.સી.બી. ની ટીમે શનિવારે મોડી સાંજે લાલ બંગલા સર્કલ માંથી રૂપિયા ૩૦-૩૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા, જે બંનેની લાંચ રૂશ્વત ધારા હેઠળ ધરપકડ કરી લેવાયા પછી અદાલત સમગ્ર રજૂ કરી બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.
જે રિમાન્ડ દરમિયાન આગળની તપાસ સુરેન્દ્રનગર એસીબીની ટીમ દ્વારા ચલાવવામાં આવી હતી, અને બન્ને ના રહેણાંક મકાનો વગેરે સ્થળે તપાસણી કરવામાં આવી હતી. જોકે તેઓ પાસેથી વધુ કશું વાંધાજનક મળ્યું ન હતું. દરમિયાન તેની રિમાન્ડની મુદત પૂર્ણ થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરાયા હતા, અને અદાલતે બંનેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application