મોડી સાંજથી સવાર સુધી ભેજવાળું વાતાવરણ: આખો દિવસ ગરમી

  • March 15, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી સાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે ગરમીમાં રાહત મળે છે. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમી વધી જાય છે. રાજકોટ સહિત રાયના ૧૨ સેન્ટરમાં મહત્તમ તાપમાન ૩૪ થી ૩૬ ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

ગઈકાલે રાજકોટ અને વેરાવળમાં ૯૦ ટકા જેટલો ભેજ નોંધાયો હતો અને ઝાકળ જોવા મળી હતી. આજે સમગ્ર રાયમાં સૌથી વધુ ભેજ નું પ્રમાણ પોરબંદરમાં ૮૧% નોંધાયું છે. રાયના અન્ય ભાગોમાં પણ સરેરાશ ૭૦% આસપાસ ભેજ રહ્યો છે.

રાજકોટમાં ૩૪.૩ સુરેન્દ્રનગરમાં ૩૪.૫ અમરેલી માં ૩૪ વડોદરામાં ૩૪.૨ સુરતમાં ૩૫.૨ ભુજમાં ૩૪.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદ ડીસા ગાંધીનગર અને વલ્લભ વિધાનગરમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૪ થી ૩૫ ડિગ્રી વચ્ચે રહ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સકર્યુલેશન અને ટ્રફ એવી જુદી જુદી ત્રણ સીસ્ટમ દેશના અનેક રાયોમાં કાર્યરત છે અને તેના કારણે મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે. મહત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી ખાસ કોઈ ફેરફાર દેખાતો નથી અને અત્યારે મિશ્ર ઋતુ જેવું જે વાતાવરણ છે તે હજુ બે ત્રણ દિવસ ચાલુ રહે તેવું લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application