જામનગરના ઢીચડામાં મકરસંક્રાંતિના પર્વના દિવસે અશ્ર્વદોડ સ્પર્ધા: વિજેતાઓને કરાયા પુરસ્કૃત

  • January 16, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઢિચડા ગામ મા શ્રી આઈ માતાજી નો વાર્ષિક ઉત્સવ તા. ૧૪-૧-ર૦ર૪ ના ઉજવાયો હતો. ગઈકાલ તા. ૧૪ અને રવિવારે ઢીંચડા માં આયોજીત આ ઉજવણીમાં અસંખ્ય લોકો જોડાયા હતાં અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ નિમિત્તે ખાસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ અનેક અસ્વારો જોડાયા હતાં. જાફરભાઈ કોટાઈ નો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા થયો હતો, જ્યારે ખેતનભાઈ પતાણીનો ઘોડો બીજા ક્રમે વિજેતા થયો હતો, જ્યારે નાના ઘોડાની રેસમાં દિપક સનાનો પ્રથમ અને રફીક મીયાનો ઘોડો બીજા ક્રમે આવ્યો હતો. આ વિજેતા ઘોડેશવારોને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application