ગ્વાટેમાલામાં ભયાનક માર્ગ અકસ્માત, પુલ પરથી બસ પડી જવાથી 40 લોકોના મોત

  • February 10, 2025 11:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં 40 જેટલા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહી હતી.


બસ પુએન્ટે બેલિસ હાઇવે પર આવેલ એક પુલ છે. જ્યાંથી બસ નીચે પડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં બસ આંશિક રીતે પાણીમાં ડૂબેલી દેખાય છે, અને તેની આસપાસ પીડિતોના મૃતદેહ પડેલા છે.



ગ્વાટેમાલા શહેરના મેયર રિકાર્ડો ક્વિનોનેઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અકસ્માત બાદ ઘટનાસ્થળે કટોકટી સેવાઓ તૈનાત કરવામાં આવી હતી. દરમિયાન, ટ્રાફિક પોલીસ અસરગ્રસ્ત વિસ્તારમાં વૈકલ્પિક માર્ગો સ્થાપિત કરવા પર કામ કરી રહી છે.



ગ્વાટેમાલામાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ અકસ્માત બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે સેના અને આપત્તિ એજન્સીને તૈનાત કરી છે.અરેવાલોએ સોશિયલ મીડિયા પર કહ્યું, 'હું પીડિતોના પરિવારો સાથે એકતામાં ઉભો છું જેમને હૃદયદ્રાવક સમાચાર મળ્યા છે.' તેમનું દુઃખ એ મારું દુઃખ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application