જામનગરની શાળા-કોલેજોમાં આજે રજા

  • June 16, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની જુદી જુદી શાળાઓમાં સ્ટાફ ખડેપગે

જામનગરમાં વાવાઝોડાની અસરના કારણે અગાઉ ત્રણ દિવસની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, દરમ્યાન ગઇકાલે રજામાં એક દિવસનો વધારો કરીને આજે તા. ૧૬ના રોજ જામનગરની તમામ શાળા-કોલેજોમાં રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જામનગરમાં સંભવીત વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા અગાઉ ત્રણ દિવસની શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઇ હતી, જયારે શિક્ષકો અને સ્ટાફને શાળા ખાતે હાજર રહી જરુર જણાયે બિલ્ડીંગનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, શહેરની અસંખ્ય શાળાઓમાં કાચા અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો, મોટાભાગની શાળાઓ રાત્રીના અને દિવસ દરમ્યાન ખુલ્લી રાખવામાં આવી હતી, શિક્ષકો અને સ્ટાફ ખડેપગે રહયો હતો.
અગાઉ શાળા-કોલેજોમાં ત્રણ દિવસની રજાઓ જાહેર કરાયા બાદ ગઇકાલે બપોર બાદ જામનગર જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા આજે તા. ૧૬ના રોજ વધુ એક દિવસની તમામ શાળાઓમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો હતો. વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ સતત વરસાદ અને ભારે પવનના કારણે વાતાવરણ ગંભીર જોવા મળી રહયું છે આથી હવેના દિવસોમાં રજા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
**
આજે દ્વારકા - ઓખા પંથકમાં વેપાર-ધંધા બંધ
ઓખા, બેટ-દ્વારકાની નજીક બિપરજોય વાવાઝોડું પહોંચવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ઓખા તથા દ્વારકા નગરપાલિકા દ્વારા સમગ્ર પંથકના ગામોમાં આજે આખો દિવસ વેપાર-ધંધા બંધ રાખવાની નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ઓખા પંથકના આરંભડા, સુરજકરાડી, બેટ-દ્વારકા તેમજ દ્વારકામાં વાવાઝોડાના કારણે સાવચેતીના પગલા‚પે આજે તમામ વ્યાપાર, ધંધા બંધ રાખવા માટે બન્ને નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application