શહેરમાં ગત અઠવાડિયે સતં કબીર રોડ પર અકસ્માતમાં પિતા–પુત્રના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.ત્યારબાદ મેટોડામાં સર્જાયેલા અકસ્માતમાં પણ પિતા–પુત્રના જીવ ગયા હતા. ત્યારે આજરોજ શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. માધાપર ચોકડી પાસે માધાપરથી બેડી ગામ જવાના ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને એકટીવાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ગાંધીગ્રામની મહાવીર સોસાયટીમાં રહેતા પ્રૌઢનું મોત થયું હતું. આ ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર પ્રૌઢ સસ્તા અનાજના વેપારી હોવાનું માલુમ પડું છે. અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સમયે માધાપર ઓવર બ્રિજ પાસે અકસ્માતની આ ઘટના બની હતી જેમાં એકટીવાચાલક પ્રૌઢનું ઘટનાસ્થળે કમકમાટી ભયુ મોત થયું હતું. બનાવની જાણ થતા ૧૦૮ ની ટીમ તથા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ અહીં ઘટનાસ્થળે દોડી ગયો હતો અકસ્માતની આ ઘટનાના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અજાણ્યા વાહને એકટીવાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મોતને ભેટનાર પ્રૌઢ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા મહાવીર નગર ૨ માં રહેતા સતુભા ઉમેદસિંહ ઝાલા (ઉ.વ ૫૬) હોવાનું માલુમ પડું છે.
પ્રૌઢને બેડીમાં સસ્તા અનાજની દુકાન આવેલી હોય આજરોજ તેઓ પોતાની દુકાનેથી ઘરે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં મોતને ભેટનાર પ્રૌઢને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.એકટીવાને હડફેટે લેનાર વાહન ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. ત્યારે આ અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech