હિમાચલ પ્રદેશ સરકારનો યુ ટર્ન, દિલ્હીને આપવા માટે ‘તેની પાસે વધારાનું પાણી નથી’

  • June 13, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અપર યમુના રિવર બોર્ડ (UYRB)ને અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકારે યુ-ટર્ન લીધા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. હિમાચલ સરકારે જણાવ્યું કે તેમની પાસે વધારાનું પાણી નથી. આના પર જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે દિલ્હી સરકારને સાંજે 5 વાગ્યા સુધીમાં અપર યમુના રિવર બોર્ડ સમક્ષ અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.


હિમાચલ પ્રદેશ સરકાર વધારે પાણી હોવાનો ઇનકાર કરે છે

કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે માનવતાના આધાર પર અપીલ કરવી જોઈએ. હિમાચલ પ્રદેશ સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેમની પાસે વધારાનું પાણી છે. ત્યારબાદ કોર્ટે હિમાચલને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. જે હરિયાણા થઈને દિલ્હી પહોંચવાનું હતું પરંતુ હવે હિમાચલે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે વધારાનું 136 ક્યુસેક પાણી નથી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે હરિયાણાને હિમાચલમાંથી છોડવામાં આવતા વધારાના પાણીને દિલ્હી સુધી વિના અવરોધે પહોંચવા દેવાનું કહેવામાં આવે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી સરકારનો આરોપ છે કે હરિયાણા યમુનામાં ઓછું પાણી છોડી રહ્યું છે જેના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ઘટી ગઈ છે.


કોર્ટે બોર્ડમાં અપીલ કરવાની સૂચના આપી

ખંડપીઠે કહ્યું કે રાજ્યો વચ્ચે યમુનાના પાણીનું વિભાજન એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે અને આ કોર્ટ પાસે તેના પર નિર્ણય લેવાની તકનીકી કુશળતા નથી. આ બાબત એ વિભાગ પર છોડી દેવી જોઈએ જે વર્ષ 1994માં વિવિધ પક્ષો વચ્ચે સમજૂતી બાદ એમઓયુ દ્વારા રચવામાં આવી હતી. કોર્ટે કહ્યું, 'અપર યમુના રિવર બોર્ડે પહેલાથી જ દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અરજી દાખલ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે પિટિશન ફાઈલ કરવી જોઈએ અને જો તેણે હજુ સુધી આમ ન કર્યું હોય તો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં દાખલ કરો. આ બાબતે આવતીકાલે બોર્ડની બેઠક મળવી જોઈએ અને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.


દિલ્હી આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હરિયાણામાંથી વધારાનું પાણી દિલ્હીને આપવાની માગણી કરી હતી જેથી કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ દૂર થઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application