ખંભાળિયાના આહિર સિંહણ નજીક સોમવારે સંઘાયડાવાળા જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ

  • March 22, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામ તરફના માર્ગે આવેલા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી સમિતિ દ્વારા આગામી સોમવાર તારીખ ૨૫ મીના રોજ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમવારે સવારે ૧૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે સાડા પાંચ વાગ્યે મહા આરતી, ૬:૩૦ વાગ્યે સમુહ ભોજન તેમજ રાત્રે ૧૦ વાગ્યે રાધા કાન ગોપી મંડળ (ભાયાવદર) દ્વારા રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ માટે સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ-વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ અને દરેક શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા સમિતિના જેસંગભાઈ સંઘાર, ઉપેન્દ્રભાઈ સંઘાર અને કેશુભાઈ સંઘાર દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application