જામનગરમાં વૃઘ્ધ પર હીચકારો હુમલો

  • May 25, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર સભ્યોએ છરી-ધોકા-ઈંટ વડે હુમલો કરી ઇજા પહોંચાડી: કેસ ચાલતો હોવાથી તેનું મન દુ:ખ રાખીને માર માર્યાની ફરિયાદ

જામનગરમાં કિસાન ચોક બાવાવાડ વિસ્તારમાં રહેતા  કાંતિલાલ લક્ષ્મીદાસ નાખવા નામના ૬૫ વર્ષના બુઝુર્ગે પોતાના ઉપર છરી લાકકડાના ધોકા અને ઇંટ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાની પુત્રવધુ નિશાબેન રાકેશભાઈ, તેમજ તેના પરિવારના રાજ કાંતિલાલ નાખવા, પ્રિન્સ ચંદ્રકાંતભાઈ ભદ્રા અને લખન ચંદ્રકાંતભાઈ ભદ્રા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, અને તેઓને ૧૨ ટાંકા લેવા પડ્યા છે.
ફરિયાદીના પુત્ર રાકેશ સાથે આરોપી પુત્ર વધુ નીશા એ છૂટાછેડા લીધા હોવાથી છેલ્લા પાંચ વર્ષથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જેનું મન દુ:ખ રાખીને  આ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application