અહીં આવેલું છે ભોળાનાથનું એકમાત્ર એવું મંદિર જ્યાં તેઓ એકલા જ આપી રહ્યા છે દર્શન,માતા પાર્વતી કરી રહ્યા છે બહાર પ્રતિક્ષા

  • July 25, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ પ્રિય છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના અભિષેક, દર્શન અને પૂજા માટે શિવ મંદિરમાં જતા જ હોય છે. દરેક મંદિરના ગર્ભગૃહમાં, મધ્યમાં શિવલિંગ અને દેવી પાર્વતી ભગવાનની પાછળ બિરાજમાન હોય છે. ગણેશ અને કાર્તિકેય નંદીની સાથે નજીકમાં બેઠેલા જોવા મળશે. પરંતુ  કદાચ વિશ્વનું એકમાત્ર શિવ મંદિર વૃંદાવનમાં છે, જ્યાં ભોલેનાથ ગર્ભગૃહમાં એકલા બિરાજમાન છે અને માતા પાર્વતી દરવાજાની બહાર તેમના બહાર આવવાની રાહ જોઈને બેઠા છે.


વાત છે દ્વાપર યુગમાં એટલે કે લગભગ 5300 વર્ષ પહેલા સ્થાપિત ગોપેશ્વર મહાદેવ મંદિરની. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આ મંદિર અને ગોપેશ્વર મહાદેવના મહિમાનો ઉલ્લેખ છે. આ સંદર્ભમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે વૃંદાવનમાં સ્થાપિત આ મંદિર એ જ સમયનું છે જ્યારે ભગવાન કૃષ્ણએ મહારાસની રચના કરી હતી. ભગવાન શિવ અહીં મહારાસના દર્શન કરવા આવ્યા હતા.


આ મહારાસમાં ભગવાન કૃષ્ણ એકમાત્ર પુરુષ હતા, જ્યારે લાખો ગોપીઓ તેમની સાથે હતી. ભગવાન શિવે પણ મહારાસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ ગોપીઓએ તેમને દરવાજે રોક્યા. તે સમયે એક ગોપીની સલાહ મુજબ  ભગવાન શિવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. સાડી પહેરી, મોટી નથળી પહેરી, કાનમાં બુટ્ટી અને 16 શણગાર કર્યા. આ પછી તેઓ મહારાસમાં જોડાઈ શક્યા.


માતા પાર્વતી ભોળેનાથનો પાછળ-પાછળ વૃંદાવન પહોંચ્યા


ભાગવત મહાપુરાણ અનુસાર તે સમયે ભગવાન શિવ માતા પાર્વતીને જાણ કર્યા વિના પ્રથમ વખત કૈલાસમાંથી બહાર આવ્યા હતા. માતા પાર્વતીને આ વાતની જાણ થતાં જ તેઓ પણ ભગવાન શિવને અનુસરીને વૃંદાવન પહોંચી ગયા. અહીં તેણે જોયું કે બાબા નથળી પ્ફેરીને ગોપી બનીને ભગવાન કૃષ્ણ સાથે નાચતા-ગાતા હતા. આ જોઈને માતા પાર્વતી પણ મોહિત થઈ ગયા. તેણે પણ વિચાર્યું કે તેમણે પણ જઈને મહારાસમાં જોડાવું જોઈએ પણ તેમને ડર હતો કે બાબા અંદર જઈને પુરુષમાંથી સ્ત્રી બની ગયા છે, જો તે પણ સ્ત્રીમાંથી પુરુષ બની જશે તો શું થશે.


માતા ગર્ભગૃહની બહાર રાહ જોઈ રહ્યા છે...


આ વિચારીને માતા પાર્વતી દરવાજાની બહાર બેસી ગયા અને બાબાને બહાર બોલાવવા ઈશારા કરવા લાગ્યા. ત્યારે બાબાએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે હવેથી તેઓ અહીં આ સ્વરૂપમાં જ રહેશે. ત્યારથી ભગવાન શિવ અહીં ગોપેશ્વર મહાદેવના રૂપમાં બિરાજમાન છે અને માતા પાર્વતી ગર્ભગૃહની બહાર તેમની રાહ જોઈને બેઠા છે. આજે પણ સમયાંતરે બાબા નાકની નથ પહેરીને ગોપી બને છે. ખાસ કરીને શરદ પૂર્ણિમાની રાત્રે એટલે કે મહારાસના દિવસે બાબા 16 શણગાર ધારણ કરે છે. આમ તો શ્રાવણ મહિનામાં તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે પરંતુ ભોળાનાથના આ મંદિરમાં સૌથી વધુ ભક્તો શરદ પૂર્ણિમાના દિવસે આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application