શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત આંગણવાડીથી ૧૮ વર્ષ સુધીના બાળકોની આરબીએસકે ની ટીમ દ્રારા આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. જુનાગઢ જિલ્લામાં એપ્રિલથી ઓકટોબર સાત મહિના દરમિયાન ૧.૬૫ લાખ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૨૧૨ બાળકોમાં વધુ ખામી જોવા મળી હતી. જેથી તેને વધુ સારવાર આપવામાં આવી રહી છે. યારે ૨૮,૯૫૦ બાળકોની ચકાસણી બાદ સારવાર પૂર્ણ કરવામાં આવી છે.
શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના આરોગ્યની તપાસ કરીને બાલ્યાવસ્થામાં જ તેના નિદાન ઉપચાર કરવામાં આવે છે.જૂનાગઢ જિલ્લ ામાં આરબીએસકેની ટીમ દ્રારા એપ્રિલથી ઓકટોબર સુધીમાં ૧.૬૫ લાખ બાળકોના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા જેમાંથી હૃદયના ૮૭, ૩૩ ત્રાસા પગ, કેન્સરના ૪, ફાટેલા હોઠ અને ડાઉન સિન્ડ્રોમના ૯–૯ મળી ૨૧૨ બાળ દર્દીઓ શોધી તેની સારવાર શ કરવામાં આવી છે. હેલ્થ ચેકઅપમાં કુલ બીમાર મળેલા ૨૮,૯૫૦ બાળકોની સારવાર આપવામાં આવી હતી.
શાળા આરોગ્ય તપાસ અંતર્ગત જિલ્લ ામાં કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન અને જિલ્લા આરોગ્ય અધિકારી સુતરિયાના નિદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની આરબીએસકે ટીમ દ્રારા આંગણવાડી અને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું નિદાન કરવામાં આવે છે.જૂનાગઢ જિલ્લ ાના ૯ તાલુકાઓમાં ૧૯ અરબીએસકે ટીમ દ્રારા એપ્રિલથી ઓકટોબર સાત મહિના દરમિયાન મેડિકલ ટીમ દ્રારા ૭૨,૮૧૦ આંગણવાડી અને ૯૨,૪૬૫ શાળાના વિધાર્થી મળી કુલ ૧,૬૫,૨૭૫ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. વિવિધ નિદાન ચકાસણી તપાસ દરમિયાન ૩૦,૨૯૪ બાળકોને એનિમિયા, દાંત અને આંખની સહિત બીમારી જોવા મળી હતી જેમાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, સીએસસી અને પીએચસી સેન્ટરોમાં ૨૮,૯૫૦ બાળકોની સારવાર આપવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોની ચકાસણી અંતર્ગત ૮૭ બાળકોને હૃદય ના સૌથી વધુ દર્દી જોવા મળ્યા હતા. જેમાં હૃદયમાં કાણું વાલ ની બીમારી માલુમ પડતા તેને નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ૩૫ બાળકોને ત્રાસા પગ,૯ બાળકોમાં જન્મથી બહેરાશ,૯ ફાટેલ હોઠ,૯ ડાઉન સિન્ડ્રોમ, ૪ ને કેન્સર, ૫–૫ બાળકોમાં કરોડરુ અને આખં મોતીયા, આ ઉપરાંત ૫૩ ને આંચકી, કિડની, હર્નિયા, નબળાઈ, બોલવામાં મુશ્કેલી સહિત ૨૧૨ જન્મજાત ખામીઓ જોવા મળી હતી.નવ તાલુકાઓમાં થયેલી આરોગ્ય ચકાસણી દરમિયાન આંગણવાડીથી ૧૮ વર્ષ સુધીના બાળકો નો સમાવેશ કરાયો હતો. આ ચકાસણી કાર્યક્રમ દરમિયાન બીમાર દર્દીઓને રાય સરકાર દ્રારા જ નિશુલ્ક સારવાર આપવામાં આવે છે. દર મહિને સ્વાસ્થ્યનો અપડેટ પણ મેળવવામાં આવે છે.
સૌથી વધુ માંગરોળમાં ડિટેકશન
શાળા આરોગ્ય તપાસણીમાં થયેલ નિદાનમાં વધુ સારવારની જર હોય તેવા ૨૧૨ બાળ દર્દીઓમાં સૌથી વધુ માંગરોળમાંથી ૫૯ યારે સૌથી ઓછા વંથલીમાં ૫ બાળ દર્દીઓમાં ખામી માલુમ પડી હતી.
૧૯ આરબીએસકેની ટીમ દ્રારા નિદાન
જૂનાગઢ જિલ્લ ામાં નવ તાલુકાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં કેશોદમાં–૩, જૂનાગઢ–૨, ભેસાણ–૧, માંગરોળ અને માળીયાહાટીના ૩–૩, મેંદરડા–૧, વંથલી અને વિસાવદર ૨–૨ મળી કુલ ૧૯ અઆરબીએસકેની ટીમ દ્રારા બાળકોની તપાસ કરવામાં આવી હતી.
બાળકોને સ્પીચ થેરાપીની તાલીમ
જન્મથી બહેરાશ હોય તેવા બાળકોને બોલવામાં પણ મુશ્કેલી થતી હોય છે. કશું સાંભળતા ન હોવાથી બોલવામાં પણ કોઈ મુશ્કેલ ન પડે તે માટે સારવાર અંતર્ગત તેઓને સ્પીચ થેરાપી પણ આપવામાં આવે છે. જેમાં વિવિધ તાલુકાઓમાં મેડીટેશન ટીમ દ્રારા વાકયો અને શબ્દોના ઉચ્ચારણ સહિતની બાબતો અંગે પણ તાલીમ આપવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત કરાઈ
May 10, 2025 03:21 PMરંગબાઇ મંદિર સામે ૪૦ કરોડની કિંમતી જમીન પરનું દબાણ થયુ દૂર
May 10, 2025 03:18 PMકુતિયાણામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો
May 10, 2025 03:15 PMપોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા થયા મહત્વના સૂચનો
May 10, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech