તિરુપતિ લાડુ પ્રસાદમ વિવાદ વધુ આક્રમક સ્વરૂપ લઈ રહ્યો છે અને વિહિપએ તો એવી માંગણી કરી છે કે મંદિરોનું સંચાલન હિંદુઓ હસ્તક જ હોવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ હિન્દુઓના તમામ મંદિરો અને અન્ય ધર્મસ્થળોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગ ઉઠાવી છે.
તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ઘણા રાજકીય પક્ષોએ આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદએ કહ્યું કે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબીનો કથિત ઉપયોગ અસહ્ય છે. આંધ્ર પ્રદેશ સરકાર મંદિરનું નિયંત્રણ અને સંચાલન હિન્દુ સમુદાયને સોંપે.
વિહિપ્ના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ પણ દેશભરમાં હિંદુઓના તમામ મંદિરો અને અન્ય ધર્મસ્થળોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમણે તિરુપતિ મંદિરના પ્રસાદને અપવિત્ર કરવામાં કથિત રીતે સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તિરુપતિની ઘટના વિશ્વ હિન્દુ પરિષદની માન્યતાને વધુ મજબૂત કરે છે કે મંદિરો પર સરકારનું નિયંત્રણ રાજકારણમાં પ્રવેશ તરફ દોરી જાય છે.તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતુંકે પ્રસાદમાં અશુદ્ધિ જાણીજોઈને ઉમેરવામાં આવે છે.
બજરંગ બાગરાએ કહ્યું કે વિહિપ લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે હિંદુ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો સરકારી નિયંત્રણમાં ન રહે. તેમણે તિરુપતિ લડ્ડુ પ્રસાદમમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગને અસહ્ય અને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આનાથી સમગ્ર હિંદુ સમાજ વ્યથિત અને દુ:ખી છે. બજરંગ બાગરાએ કહ્યું કે હિંદુ સમાજ તેની આસ્થા પર વારંવાર થતા હુમલાને સહન કરશે નહીં.બજરંગ બાગરાએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે આંધ્ર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગંભીરતાથી વિચાર કરશે. તેમણે તિરુપતિ લાડુના અપવિત્ર કેસની નિષ્પક્ષ તપાસ અને તેમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
દેશભરમાં ચાર લાખથી વધુ મંદિરો સરકારના નિયંત્રણમાં
વિહિપ્ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ તિરુપતિ મંદિર અને દેશભરના અન્ય તમામ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું, એકલું તિરુપતિ મંદિર સરકારના નિયંત્રણમાં નથી. દેશભરના રાજ્યોમાં ચાર લાખથી વધુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે.તેમણે કહ્યું કે આ મુદ્દા પર અમારું વલણ સ્પષ્ટ છે કે સરકારોએ મંદિરો અને તેમની સંપત્તિ હિંદુ સમાજને સોંપવી જોઈએ. મંદિરોના વાસ્તવિક ટ્રસ્ટી હિન્દુઓ છે, સરકારો નહીં. બંસલે કહ્યું કે વિહિપ ટૂંક સમયમાં હિંદુ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો પર સરકારના નિયંત્રણ સામે મોટું અભિયાન શરૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech