ગારિયાધાર અને મહુવામાં અર્ધો ,તળાજા અને પાલિતાણામાં પા ઇંચ વરસાદ

  • August 22, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં બુધવારે બપોર બાદ  સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં ગારિયાધાર અને મહુવામાં અર્ધો ઇંચ,જ્યારે તળાજા અને પાલિતાણામાં પા ઇંચ વરસાદ પડ્યો હતો. વલભીપુરમાં ઝાપટુ પડયુ હતુ.જ્યારે અર્ધા ગોહિલવાડમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.
ગારિયાધારમાં સતત બીજા દિવસે મેઘરાજાએ મહેર કરી હતી અને અર્ધો ઈંચ ઉપરાંત એટલે કે ૧૬ મિ.મી.વરસાદ નોંધાયો હતો જ્યારે મહુવામાં પણ અર્ધો ઈંચ જેટલો (૧૦ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગર શહેર પર  વાદળો છવાયા હતા પરંતુ વરસ્યા નહોતા.
ગારિયાધાર ઉપરાંત  તળાજા શહેરમાં ૮ મિમી. એટલે કે પા ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો.પંથકમાં દિવસ દરમિયાન ભારે બફારા બાદ સાંજના  સાત કલાકના અરસામાં તળાજા શહેર અને બોરડા ગામમાં નેવાધાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય વલ્લભીપુરમાં  ૧ મિ.મી. અને પાલિતાણામાં ૬ મિ.મી. એટલે કે પા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અર્ધા ગોહિલવાડમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application