ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા ગુરૂવંદન - છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

  • July 30, 2024 12:28 PM 

ગુરૂવંદન - છાત્ર અભિનંદન

ભારતીય સંસ્કૃતિ પર આધારિત સમાજ રચનાનું નિર્માણ કરવાના લક્ષ્ય સાથે ગુરૂ શિષ્યના પવિત્ર સંબંધના મૂલ્યો પુનઃ સ્થાપિત કરવાના નમ્ર પ્રયાસ રૂપે ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ સ્વરૂપે સમગ્ર દેશમાં ગુરૂવંદન - છાત્ર અભિનંદન કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની ૨૯ શાળાઓમાં ગુરૂપૂજન કાર્યક્રમની ઉજવણી તા. ૧૮ થી ૨૫ જુલાઇ સુધીમાં કરવામાં આવી.
​​​​​​​જેમાં ૬૨૦૫ વિદ્યાર્થીઓ તથા ૩૯૨ શિક્ષકોએ ભાગ લીધેલ ત્થા ૨૫૬ વિદ્યાર્થીઓ તેમજ ૫૮ શિક્ષકોનું કંકુ ચોખા અને ફૂલોના માધ્યમથી તિલક કરી પૂજન કરવામાં આવ્યું તેમજ શાખા તરફથી સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સંસ્થાના હોદેદારો, સંયોજક, સહસંયોજકો, પ્રાંતના અધિકારીઓ, કારોબારી સભ્યો તેમજ પરિવારના સભ્યોએ પ્રકલ્પને સફળ બનાવવામાં માટે ખુબ જ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application