પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ સ્કૂલ વાન પર કર્યો ગોળીબાર, બે નિર્દોષ લોકોના મોત, 5 ઘાયલ

  • August 22, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. હવે બંદૂકધારીઓને પકડવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ આ મામલે તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ડ્રાઈવરને કોઈની સાથે દુશ્મની હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.


પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂલ વાન બાળકોને તેમની શાળાએ મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર કર્યો.


પોલીસે જણાવ્યું કે હુમલામાં પાંચથી 10 વર્ષની વયના સાત બાળકો ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમાંથી બેના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બેની હાલત ઈજાઓ સાથે નાજુક હોવાનું કહેવાય છે.


ડ્રાઈવરને કોઈ સાથે દુશ્મની હતી?

આ દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારી સરદાર ગિયાસ ગુલે પત્રકારોને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની મદદથી બંદૂકધારીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે પોલીસ આ કેસની તમામ એંગલથી તપાસ કરી રહી છે કે તે આતંકવાદ સંબંધિત ઘટના છે કે પછી ડ્રાઈવરની કોઈ સાથે દુશ્મની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application