પોરબંદરમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે વાવાઝોડા સંદર્ભે પ્રશાસનની પૂર્વ તૈયારીઓની માહિતી મેળવી કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી.અહીં પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતના દરિયાકાંઠે સંભવિત કુદરતી આપતી અંગે જરી પૂર્વ તૈયારીના પગલાં લઈ શકાય તે માટે રાજ્ય પ્રશાસન અને અમને માર્ગદર્શન આપ્યું છે. પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી એ કહ્યું હતું કે ગુજરાત સરકારે ભારત સરકારના સંકલનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસનોએ વાવાઝોડા પૂર્વે ટીમ વર્કથી કામ કર્યું છે અને હજુ પણ જરિયાત મુજબ ટીમો કામ કરી રહી છે.તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જરિયાત મુજબ માલ પરિવહન માટે રેલવે પણ તમામ પ્રકારની મદદ કરશે. રેલ્વે દ્વારા પણ સાવચેતી પે પગલા લેવાયા છે. સોમનાથ અને દ્વારકા સહિતના તીર્થ સ્થળોએ આ કુદરતી આપત્તિમાં નુકસાન ન થાય તે માટે પણ સ્થળાંતર અને લોકોને મદદપ થવા માટે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતા મંત્રીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં ૫૯ સગર્ભા બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા આરોગ્ય વિષયક પગલા લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં પૂર્વ તૈયારી તેમજ વીજ પુરવઠો ખોરવાય તો વહેલાસર રેસ્ટોરેશન થઈ શકે તે માટે પણ તૈયારી રાખવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ૧૨૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ આ કામગીરી ચાલુ છે. કેન્દ્રીય મંત્રી ત્રણ દિવસ સુધી પોરબંદર ખાતે રોકાણ કરશે. વાવાઝોડા સંદર્ભે કામગીરી રાહત બચાવ તકેદારી અંગે માર્ગદર્શન આપશે.
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પોરબંદરના કલેક્ટર કે.ડી. લાખાણીએ જિલ્લામાં અત્યાર સુધી કરવામાં આવી રહેલી કામગીરી અને જુદા જુદા વિભાગોએ કરેલી કામગીરીની માહિતી મંત્રીને આપી હતી.આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech