વાહન પાર્કિંગના મામલે બધડાટી બોલી : ટોળા એકત્ર થતા વાતાવરણમાં તંગદીલી પ્રસરી : ગામમાં પોલીસ બંદોબસ્ત : ફરીયાદ માટે તજવીજ
શેઠવડાળા ગામમાં ગઇકાલે સાંજે વાહન પાર્કિંગના મામલે બધડાટી બોલી હતી જેમાં ધિંગાણુ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી, હાથાપાઇ અને હથિયારોથી હુમલો થતા ચારથી પાંચ વ્યકિતને નાની મોટી ઇજાઓ થતા અને બબાલના કારણે ટોળા એકત્ર થતા થોડો સમય વાતાવરણમાં તંગદીલી પ્રસરી ગઇ હતી દરમ્યાનમાં શેઠવડાળા પોલીસ અને જામનગરથી એલસીબી સહિતનો પોલીસ કાફલો તાકીદે દોડી ગયો હતો.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ગઇ સાંજે નજીવી બાબતમાં માથાકુટ થઇ હતી જેમાં દરબારની ઓફીસમાં બે ઇસમ ધસી ગયા હતા અને બોલાચાલી કરી હતી આ બબાલમાં તોડફોડ અને હાથાપાઇ થતા મામલો ઉગ્ર બન્યો હતો, સામા પક્ષે પણ પ્રહાર કરાયો હતો અને અથડામણ થયાની વાત પ્રસરી જતા બંને જુથના ટોળા એકત્ર થઇ ગયા હતા તેમજ શેઠવડાળા પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળે દોડી ગઇ હતી.
આ માથાકુટમાં તાલુકાના રાજકીય અગ્રણી મહિલાના પતિ સહિત 3ને ઇજા થતા જામનગર જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં માથાકુટ અંગે ફરીયાદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જયારે સામા પક્ષે પણ ફરીયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech