વિધાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિમાં રેશનકાર્ડના ડેટાબેઝમાં તમામ વિધાર્થીઓનું આધાર બેઝ બાયોમેટિ્રક ઈ–કેવાયસી કરવાનો સરકારનો નિર્ણય આખરે પાછો ખેંચવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ ઉઠતા સરકારે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ યોજીને આ સંદર્ભે સમાજ કલ્યાણ વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને આ વ્યવસ્થા હવેથી મરજીયાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સરકારના આ નિર્ણય પછી હવે આધાર કાર્ડ અને રેશનકાર્ડ ની માહિતી વગર પણ ડેટા એન્ટ્રી અને પ્રપોઝલ પોર્ટલ પર બની શકશે. ધોરણ એક થી આઠ ના વિધાર્થીઓને હવે આ લાભ મળ્યો છે અને સાથો સાથ ધોરણ નવ અને ૧૦ ના વિધાર્થીઓ માટે પણ આ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. જો કોઈ આચાર્યને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીનો સંપર્ક સાધવા સરકારે સૂચના આપી છે. ઈ કેવાયસી ના નિર્ણયના કારણે વિધાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અને તેમના વિરોધ સામે નમતું મૂકીને સરકારે આખરે આ નિર્ણય કર્યેા છે અને તેના કારણે હવે આ સમગ્ર પ્રક્રિયા સરળ અને ઝડપી બની જશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકારી શાળામાં ધોરણ અભ્યાસ કરતા વિધાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાક વર્ષેાથી સીધી વિધાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે. પરંતુ ઈ કેવાયસીના આધાર કાર્ડ અને રેશનકાર્ડના નવા નિર્ણયના કારણે અત્યાર સુધીમાં માત્ર ૪૦% જેટલા વિધાર્થીઓ જ પોર્ટલમાં અરજી કરી શકયા છે. જટિલ વ્યવસ્થા અને પ્રક્રિયાના કારણે એક કલાકમાં માત્ર ૧૦ જેટલી અરજીઓ થઈ શકતી હતી અને તેમાં વિધાર્થીના વાલીઓ શિક્ષકો સહિતના સૌ કોઈ ધંધે લાગી ગયા હતા. પરંતુ આખરે સરકારે આ નિર્ણયમાં ફેરફાર કર્યેા છે અને સકોલરશીપમાં આધાર રેશનકાર્ડ મરજીયાત બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech