જામનગર આર્યસમાજના પદાધિકારીઓની રાજ્યના ત્રણ કેબીનેટમંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત

  • June 12, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબીનેટમંત્રી રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા તેમજ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર સાથે મુલાકાતમાં ચર્ચાઓ કરી

તાજેતરમાં આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર માનદ્દમંત્રી રામાણી મહેશભાઈ પટેલ અને અંતરંગ સદસ્ય વિશ્વાસભાઈ ઠક્કરે કૃષિ-પશુપાલન અને ગૌ-સંવર્ધન વિભાગ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રવાસન-સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન-પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત રાજ્યના  કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, તેમજ ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે તમામ મંત્રીઓને આર્યસમાજ જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ્ દયાનંદ ક્ધયા વિદ્યાલયની શૈક્ષણિક સફર અંગે પણ તેમને માહિતગાર કરેલ હતા. કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા અને કુબેરભાઈ ડીંડોર (શિક્ષણમંત્રી) નો શાળા તેમજ સંસ્થાના વિકાસમાં સહકાર આપવા અંગેનો સકારાત્મક પ્રત્યુતર આ મુલાકાત દરમ્યાન મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application