શંકરટેકરી ઉધોગનગરમાં કારખાનામાંથી 1.17 લાખના સામાનની ચોરી

  • October 19, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

125 કીલો છોલ અને 200 કીલો બ્રાસનો માલ લઇ ગયા : સીસી ફુટેજ ચેક કરતી પોલીસ


જામનગરના શંકરટેકરી ઉધોગનગરમાં બ્રાસના કારખાનામાંથી પિત્તળનો 125 કીલો છોલ, તૈયાર માલના બાચકા કોઇ અજાણ્યા શખ્સો શટર તોડીને ચોરી કરી ગયા છે, જે અંગે ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના શકિત સોસાયટી શેરી નં. 6માં રહેતા પ્રેમજીભાઇ કરમશીભાઇ માકાસણા (ઉ.વ.59)નું શંકરટેકરી ઉધોગનગર સી/2/67 ખાતે શકિત બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું આવેલ છે, જેમાં શટર તોડીને ત્રાટકેલા તસ્કરો કારખાનામાંથી પિત્તળનો 125 કીલો છોલ કિ. 37500 તથા તૈયાર માલના પિત્તળના 8 બાચકા આશરે 200 કીલો વજન જેની કિ. 80.000 મળી કુલ 117500નો મુદામાલ ચોરી કરી ગયા હતા. કારખાનેદાર પ્રેમજીભાઇ દ્વારા ગઇકાલે સીટી-સીમાં અજાણ્યા ઇસમ સામે ફરીયાદ કરવામાં આવતા પીએસઆઇ સીસોદીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application