કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય અને પુર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, લેઉવા પાટીદાર સમાજના નરેશ પટેલ સહિતના આગેવાનો રહયા ઉપસ્થીત: ૪હજારથી વધુ સિનીયર સીટીઝનોનું કરાયું સન્માન
યાત્રાધામ દ્વારકા ખાતે બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા દ્વિતીય વડીલ તીર્થયાત્રા ૨૦૨૩ અંતર્ગત દ્વારકાધીશ મંદિરે નૂતન ધ્વજારોહણ અને વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાટીદાર સમાજ ના નેતા અને ખોડલધામ ના મોભી નરેશ પટેલ સહિત રાજયના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પાટીદાર ધારાસભ્ય સહિતના જ્ઞાતિ જનો ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાધામ દ્વારકા ખાતે બેતાલીસ ગામ પાટીદાર યુવા મંડળ દ્વારા દ્વિતીય વડીલ તીર્થયાત્રા અંતર્ગત દ્વારકા , સોમનાથ અને ખોડલધાઆ ત્રિદિવસીય સિનિયર સીટીઝન તીર્થ યાત્રા યોજાઈ રહ્યો છે ત્યારે આજ રોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગત મંદિર ના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાયું હતું જેમાં હજાતો પાટીદારો જોડાયા હતા સાથે જ દ્વારકા ખાતે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં ૪ હજાર થી વધુ વડીલો નું સન્માન કરવામાં આવ્યું હતું એશિયાની સૌથી મોટી મનાતી સામુહિક તીર્થયાત્રા માં પાટણ અને મહેસાણા જિલ્લાના બેતાલીસ સમાજના અલગ અલગ ગામોમાંથી ૧૧૧ થી વધુ લકઝરી બસોમાં હજારો પાટીદારો જોડાયા હતા અંર ૧૦૮ વર્ષ ના ૧૨ વડીલો સહિત ૪ હજાર થી વધુ સિનિયર સીટીઝનો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે દ્વારકા ના એનડી એચ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો પાટીદાર સમાજ ના આ વડીલ વંદના કાર્યક્રમ માં.ખોડલધામ ના મોભી નરેશ પટેલ , રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પૂર્વ મંત્રી જીતુ વાઘાણી તેમજ પાટીદાર સમાજના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિત સમાજના અગ્રણીઓ આગેવાનો અને બહોળી સંખ્યામાં સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
દ્વારકામાં ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના લેવા પટેલ પાટીદાર ની દ્વારકા દ્વારકા માં ધ્વજા જીના આહુરણ પ્રસંગે નીકળેલી વિશાળ શોભાયાત્રામાં જાણે માનવ કીડીયાળુ ઉભરાયું હોય તેમ હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ તથા બહેનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજની આ તાકાત ઉડીને આંખે ચડે તેવી હતી બાદમાં સાંજે પટેલ સમાજની વાડી ખાતે સૌરાષ્ટ્ર ગુજરાતના સામાજિક તથા રાજકીય આગેવાનો ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી માજી ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથા વર્તમાન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા કિરીટભાઈ પટેલ ગુજરાત રાજ્યના કેબિનેટ રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ સહીત નાગરિકની ઉપસ્થિત રહ્યા હતા ગતરાત્રિના લોક ડાયરો નું આયોજન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech