૨૪ શખ્સો ઝડપાયા : રોકડ, વાહન, મોબાઇલ કબ્જે લેતી પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રાત્રે ત્રણેક વાગ્યાના સમયે સ્થાનિક પોલીસે જુગાર દરોડા અંગેની કાર્યવાહી કરી, સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા દેવા ઉર્ફે દિપક આલા ચોપડા, રામ નાથા સિંગરખીયા, કનુ રાણા ચાનપા, અજય લખુ ડગરા, વશરામ જમન નકુમ અને જીગર કરસન નકુમ નામના છ શખ્સોને રૂપિયા ૧૩,૪૧૦ રોકડા તથા રૂપિયા ૨૦,૫૦૦ ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૯૮,૯૧૦ ના મુદ્દામાલ સાથે દબોચી લઈ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. વી.આર. શુક્લ તથા સ્ટાફ દ્વારા ગતરાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ મુનાભાઈ લગારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રાવાડા ગામની ખાયડી વાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા રામ કરસન અમર, નગા વાલેરા સુમાયત, રામ દેવશી ઓડેદરા, ધર્મેશ સુરેશ નિમાવત અને વિક્રમ મુરૂભાઈ ઓડેદરા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂ. ૧૨,૧૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના સીમ વિસ્તારમાં રાત્રિના દોઢ વાગે જુગાર રમતા વિજય દેવશી જોગલ, જગદીશ ઉર્ફે કનીયો બચુભાઈ અને ભરત વલ્લભભાઈ સોમૈયા નામના ત્રણ શખ્સોને રૂપિયા ૪,૩૫૦ ના મુદ્દામાલ સાથે જ્યારે નારણપુર ગામ તરફ જતા રસ્તે રાત્રે દોઢેક વાગ્યાના સુમારે જુગાર અંગેની કાર્યવાહીમાં નાગજી દાના વેસરા, રામ સામત ગાગીયા, આલા જેઠા કરમુર અને રામ ભીખા વેસરા નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા ૫,૨૭૦ના મુદ્દામાલ સાથે તેમજ ભોગાત ગામે બાવળની જાળીમાં બેસીને રાત્રિના સમયે જુગાર રમતા લખમણ કાયા લુણા, માયા કાયા લુણા અને રણમલ ગોપાલ ભાચકનને પોલીસે રૂપિયા ૩,૩૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડના નવાગામ ખાતેથી જેરામ ઉર્ફે લાલો નાથા અને વેજા ઉર્ફે કારો નાથા કટારીયાને તીનપત્તીનો જુગાર રમતા રૂપિયા ૪,૦૪૦ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણવડના રણજીત પરામાંથી નાજા સોમા સોરઠિયા નામના ૭૦ વર્ષના શખ્સને વરલી ફિચરના આંકડા વડે જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech