જામખંભાળિયાની સેવા સંસ્થા દ્વારા ૫૧ વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે શિક્ષણ સહાય

  • June 24, 2023 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડોક્ટર અમિત નકુમ દ્વારા પ્રેરણાત્મક પ્રવૃત્તિ

ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબિબ ડો. અમિત નકુમ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓના વિકાસ માટે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શૈક્ષણિક સહાય આપવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તબીબી ક્ષેત્ર સાથે સેવાભાવી કાર્યકર તરીકે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અમિત નકુમ (વેદાંત હોસ્પિટલ વારા) દ્વારા તેમના માતૃશ્રી જયાબેન નરોત્તમભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૫૧ જેટલી ક્ધયાઓને શિક્ષણ સહાય આપવામાં આવે છે.
વિવિધ જ્ઞાતિની અને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી ધોરણ ૧૨ થી કોલેજ સુધીની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે તમામ શૈક્ષણિક ખર્ચ આ સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિ પ્રેરણારૂપ બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application