ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી જાણીતી માનવ સેવા સમિતિ સંચાલિત એલ પી બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 11:30 સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
દાતા શ્રી સુરેન્દ્રભાઈ તથા શ્રીમતી લલીતાબેન પટેલ (હ. અરવિંદભાઈ બદીયાણી - ટોરેન્ટો કેનેડા) તેમજ દાતાઓના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનીશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આ સ્થળેથી રાજકોટ લઈ જઈને વિનામૂલ્યે નેત્રમણી સાથેનું ઓપરેશન કરી આપવામાં આવશે.
આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં અહીંના નિષ્ણાંત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસીને દવાઓ આપશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech