જામનગર શહેરના વેપારી સાથે છેતરપિંડી

  • January 01, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાનો શખ્સ કાર ભાડે લઈને નૌ દો ગ્યારાહ

જામનગરમાં રહેતા એક પરપ્રાંતિય વેપારી પાસેથી ખંભાળિયાનો  ઊંચા ભાડેથી કાર મેળવીને લઈ ગયા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગરમાં ત્રિવેણી મંદિર પાછળ શાંતિવિલાસમાં રહેતા કાલુસિંઘ મનોહરસિંઘ ચૌહાણ નામના મૂળ રાજસ્થાનના વતની એવા વેપારીને એક ચીટર શખ્સ નો ભેટો થયો હતો અને સીટી આર્કેડ માર્કેટમાં મળવા માટે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગૌરવ નરેશભાઈ બુદ્ધભટ્ટી, કે જેણે ઊંચા ભાડેથી કાર મેળવી હતી, અને ફરિયાદીની જી.જે.૧૦ ડી.એ. ૧૩૭૯ નંબરની કાર ભાડેથી લઈ ગયા હતા. જે કાર તા ૨૭.૯.૨૦૨૧ના દિવસે લઈ ગયા પછી આજ દિવસ સુધી કાર અને ભાડુ પરત આપી ન હતી.
 જેથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કાલુસિંઘ ચૌહાણ ની ફરિયાદ ના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે ગૌરવ નરેશભાઈ બુદ્ધભટી સામે આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને રૂપિયા ૮.૫૦ લાખની કિંમતની કારની છેતરપિંડી કરવા અંગે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application