શહેરના મુખ્ય રસ્તા પર પેચવર્ક કામ શરૂ: દિવાળી સુધીમાં તમામ મુખ્ય રસ્તાના ખાડા બુરાઇ જશે: ફોરલેન અને સિકસ લેન પણ કરાશે: રસ્તા રીપેરીંગ માટે 3 કરોડ પિયા ખચર્શિે
સાતમ-આઠમના દિવસોમાં ભારે વરસાદ પડયા પછી હવે કોર્પોરેશન દ્વારા 3 કરોડના ખર્ચે શહેરના મુખ્ય રસ્તા ઉપર પેચવર્ક શરૂ કરી દેવાયું છે, એટલું જ નહીં આ તમામ મુખ્ય રસ્તાઓ દિવાળી પહેલા રીપેર થઇ જશે, જામનગર શહેરમાં પ્રવેશતી વખતે ચાર પ્રવેશદ્વારોને પણ આકર્ષક કરવામાં આવશે અને થોડા રસ્તા 30.37 કરોડના ખર્ચે ફોરલેન અને સિકસ લેન કરવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં કાકરી અને રેતીવાળાની હડતાલને કારણે થોડા સમય પેચવર્કના કામો થઇ શકયા ન હતાં અને હવે હડતાલ સમેટાયા બાદ તાબડતોબ ચાર એજન્સીઓને મુખ્ય રસ્તા પ્રથમ રીપેર કરવા જણાવ્યું છે અને આ કામો શ થઇ ચૂકયા છે, ત્યારબાદ આંતરીક રસ્તાઓને પણ રીપેર કરવામાં આવશે.
જામનગર શહેરના આંતરીક અને શેરી-ગલીઓના રસ્તાઓ ખુબ જ ખરાબ થઇ ગયા છે, હાલ તો ગૌરવ પથ, ડીકેવી રોડ, કે.વી.રોડ, ગુલાબનગર રોડ, લાલપુર રોડ, એસ.ટી.રોડ, દિગ્વિજય પ્લોટ, પોલીસ ચોકીથી ખંભાળીયા ગેઇટ સુધી સેન્ટ્રલ બેંક અને રણજીત રોડના ા.3 કરોડના ખર્ચે કામો શ કરી દેવાયા છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર રાજકોટ રોડ ઉપર ગુલાબનગર રેલ્વે ઓવરબ્રિજથી ા.13 કરોડના ખર્ચે સિકસલેન રોડ, ધુંવાવથી ખીજડીયા બાયપાસ ા.5 કરોડના ખર્ચે નવો રોડ, સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ ા.8 કરોડના ખર્ચે સિકસલેન, કાલાવડ નાકાથી બ્રિજથી મહાપ્રભુજીની બેઠક સુધી ફોર લેન કરીને ઠેબા ચોકડી સુધી ા.4.37 કરોડના ખર્ચે રિ-કાર્પેટ કરવામાં આવશે. હાલ ગોકુલનગર સર્કલથી હરીયા કોલેજ સુધીનો રસ્તો શરૂ કરી દેવાયો છે.
જામનગરમાં અનેક રસ્તાઓ બિસ્માર થઇ ગયા છે, કેટલાકને તો નવા પેવર રોડ બનાવવાની જરૂર છે, ત્યારે આગામી દિવસોમાં દિવાળી બાદ શહેરના કેટલાક રસ્તાઓ ફરીથી નવા બનાવવા શરૂ કરી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech