દેશમાં અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ આરામની જોગવાઈ કરતો લેબર કોડ તૈયાર કરવામાં આવ્યો છે. આવા ચાર લેબર કોડના અમલીકરણની રાહ જોવાઈ રહી છે. અહેવાલ મુજબ, ભારત સરકાર આગામી બજેટમાં આ સંદર્ભમાં મોટા નિર્ણયની જાહેરાત કરી શકે છે. આ અંતર્ગત લેબર કોડ કેવી રીતે લાગુ કરવામાં આવશે તેની જાહેરાત બજેટ દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે.
ખાસ કરીને, કયા પ્રકારની કંપ્નીઓમાં લેબર કોડ કેવી રીતે લાગુ કરવામાં આવશે અને કયા પ્રકારની કંપ્નીઓમાં તે પહેલા લાગુ કરવામાં આવશે, તેના પર પ્રકાશ પાડવામાં આવશે. અહેવાલ મુજબ, ભારત સરકારે તેને આગામી એપ્રિલ 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, ભારત સરકાર સૌપ્રથમ 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપ્નીઓમાં નવા લેબર કોડ લાગુ કરશે. મોટા મથકોમાં આનો અમલ શરૂ કયર્િ પછી, તે અન્ય કંપ્નીઓમાં પણ ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં, આ ફક્ત મોટી સંસ્થાઓ એટલે કે 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપ્નીઓને લાગુ પડશે. ત્યારબાદ, તે બીજા વર્ષમાં મધ્યમ સ્તરની એટલે કે 100-500 કર્મચારીઓ ધરાવતી કંપ્નીઓમાં લાગુ કરવામાં આવશે.
નાના મથકો એટલે કે 100 થી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં ત્રીજા વર્ષથી તેનો અમલ કરવાની યોજના છે. આના અમલીકરણ માટે, ઘણા મોટા રાજ્યોમાં સંબંધિત ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. આ રીતે, ભારતમાં સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો હેઠળ આવતા 85 ટકા સંસ્થાઓને લેબર કોડ લાગુ કરવા માટે બે વર્ષનો સમય મળશે.
કેન્દ્રીય શ્રમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબર કોડ અમલીકરણ અંગે રાજ્યોના મુખ્ય સચિવો સાથે ચચર્િ ચાલી રહી છે. માર્ચ સુધીમાં લગભગ તમામ રાજ્યોમાં આ સંબંધિત ડ્રાફ્ટ નિયમો તૈયાર થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech