ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા, પાકિસ્તાને તેનો પાઠ શીખ્યોઃ પીએમ શાહબાઝ શરીફ

  • January 17, 2023 07:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ગઈકાલે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છે, પાકિસ્તાને તેનો પાઠ શીખ્યો છે.


ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલ તળિયાઝાટક થયો છે જે સૌથી ખરાબ આર્થિક સ્થિતિમાથી પસાર થઈ રહ્યો છે. જેની ચાડી ખાતી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં છાશવારે સામે આવતી હોય છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ભારતને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને તેમાંથી પાઠ શીખ્યો છે.


હાલ એક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન શાહબાઝ શરીફએ કહ્યું છે કે અમારી પાસે એન્જિનિયર, ડોક્ટર અને કુશળ મજૂરો છે. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે આ કુશળ શ્રમનો ઉપયોગ હવે દેશની સમૃદ્ધિ  અને વિકાસ માટે કરવા માંગીએ છીએ. જેથી આ પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય જેથી બંને દેશો પ્રગતિ કરી શકે. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. માનવ અધિકારોનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ. તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણા બંને દેશો પરમાણુ સંપન્ન રાષ્ટ્રો છે. જો બંને દેશો આ દિશામાં આગળ વધે તો શું થશે તે અલ્લાહ જાણે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application