ખંભાળિયાની સરકારી શાળામાં બાળકોને સ્વરૂચી ભોજન અપાયું

  • April 06, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના કબરવિસોત્રી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં તાજેતરમાં શાળાના બાળકોને સ્વ. પુષ્પાબેન મનુભાઈ સોલંકી પરિવારના સહયોગથી શાળાના શિક્ષિકા છાયાબેન ધર્મેન્દ્રભાઈ સોલંકી દ્વારા શ્રીખંડ, પુરી, સહિતની વિવિધ સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ સાથેનું સ્વરુચી ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળા પરિવાર વતી આચાર્ય આર.બી. ચાવડા દ્વારા આ સેવાકીય ભાવના બદલ સર્વેનો આભાર વ્યક્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application