નેપાળમાં જળબંબાકાર, સતત વરસાદને કારણે શહેરો ડૂબ્યા, 39 લોકોના મોત

  • September 28, 2024 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળમાં અવિરત વરસાદે અનેક શહેરોમાં જળબંબાકાર સર્જ્યો છે. નેપાળમાં પૂરના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. નેપાળના ઘણા વિસ્તારો ગઈકાલથી વરસાદમાં ડૂબી ગયા છે.


ચેતવણી જાહેર

ભારે વરસાદને કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. કાઠમંડુમાં નવ લોકો, લલિતપુરમાં 16, ભક્તપુરમાં પાંચ, કાવેરપાલન ચોકમાં ત્રણ, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાડિંગમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.


226 મકાનો ડૂબી ગયા, 11 લોકો ગુમ

પૂરના કારણે કુલ 11 લોકો પણ ગુમ થયા છે. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application