નેપાળમાં અવિરત વરસાદે અનેક શહેરોમાં જળબંબાકાર સર્જ્યો છે. નેપાળમાં પૂરના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. નેપાળના ઘણા વિસ્તારો ગઈકાલથી વરસાદમાં ડૂબી ગયા છે.
ચેતવણી જાહેર
ભારે વરસાદને કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. કાઠમંડુમાં નવ લોકો, લલિતપુરમાં 16, ભક્તપુરમાં પાંચ, કાવેરપાલન ચોકમાં ત્રણ, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાડિંગમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
226 મકાનો ડૂબી ગયા, 11 લોકો ગુમ
પૂરના કારણે કુલ 11 લોકો પણ ગુમ થયા છે. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech