ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે દુ:ખદ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા છે અને આઠ લોકો હજુ પણ ગુમ છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીને આ કટોકટીનો સામનો કરવા માટે શ્રે પ્રયાસો કર્યા છે.
મુશળધાર વરસાદને કારણે જાવા ટાપુ પર મધ્ય જાવા પ્રાંતના પેકાલોંગન રીજન્સીમાં નવ ગામોમાં પૂર આવ્યું. વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધવાથી, પર્વતીય પ્રદેશોમાં માટી અને ખડકોમાં તિરાડો પડી ગઈ, જેના કારણે ભૂસ્ખલન થયું. ઘણા વૃક્ષો ઉખડી ગયા અને કાટમાળ ગામડાઓમાં ફેલાઈ ગયો.
બચાવ કાર્યકરોએ અત્યાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત પેટુંગક્રિઓનો ગામમાંથી ૧૭ મૃતદેહો બહાર કાઢા છે. ગુમ થયેલા ૮ ગ્રામજનોની શોધ હજુ પણ ચાલુ છે. બચાવ કામગીરીમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું છે કે ૧૧ ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઓકટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદને કારણે ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલન સામાન્ય ઘટનાઓ છે. આ દેશ ૧૭,૦૦૦ ટાપુઓનો સમૂહ છે, યાં ઘણા લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે. આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે, પૂર અને ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકસાનની સંભાવના વધુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech