નેપાળમાં સતત ભારે વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નેપાળની મુખ્ય બાગમતી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે, જ્યારે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 125 થયો છે.
નેપાળમાં ગુરુવારથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ચાલુ છે. તે જ સમયે સશસ્ત્ર પોલીસ દળના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે 64 લોકો હજુ પણ લાપતા છે જ્યારે 61 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ તબાહી કાઠમંડુ ઘાટીમાં જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 40-45 વર્ષમાં આટલું ભયાનક પૂર અહીં જોવા મળ્યું નથી.
ભૂસ્ખલનની ઘટનામાં 6 ફૂટબોલ ખેલાડીઓના મોત
કાઠમંડુ નજીકના ધાડિંગ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા. આ દરમિયાન ભક્તપુર શહેરમાં ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થતાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સમગ્ર દેશમાં કાઠમંડુ ખીણમાં સૌથી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલને નુકસાન થયું છે. જ્યારે સુરક્ષાકર્મીઓએ લગભગ 3,626 લોકોને બચાવ્યા છે. મકવાનપુરમાં ઓલ ઈન્ડિયા નેપાળ એસોસિએશન દ્વારા સંચાલિત તાલીમ કેન્દ્રમાં ભૂસ્ખલનમાં છ ફૂટબોલ ખેલાડીઓએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય લોકો પૂરના પાણીમાં વહી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech