ચંગા પાસેના ફાર્મ હાઉસમાં રહેલા નીરણના જથ્થામાં આગ

  • February 19, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર લાલપુર માર્ગે ચંગા ગામના નજીક એક ફાર્મ હાઉસમાં રાખેલ નીરણ ના જથ્થા મા આજે  આગ લાગી હતી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ ને કાબુ મા લેવામાં આવી હતી. જીવંત શોટ સર્કિટ  નાં  કારણે આગ લાગી હોવા નું અનુમાન છે.
જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલા મસુરિયા પરિવાર નાં પુરમ ફાર્મ મા રાખવામાં આવેલ નીરણ નાં જથ્થા મા આજે આગ લાગી હતી.બનાવ ની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લીધી હતી.આગ નાં આ બનાવ મા એક ટ્રક જેટલો નીરણ નો જથ્થો સળગી ગયો હતો.
નજીક મા પસાર થતી વીજ લાઈન મા વાયર તૂટી પડતાં અથવા સોટ સર્કિટ નાં કારણે આગ લાગી હોવા નું પ્રાથમિક અનુમાન છે.આગ થી પોણો લાખ નો નીરણ નો જથ્થો સળગી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application