દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા જાણીતા ડિરેક્ટરનું 92 વર્ષે નિધન

  • February 03, 2023 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા જાણીતા ડિરેક્ટરનું 92 વર્ષે નિધન
 
RRR ફેમ એક્ટર જૂનિયર એનટીઆરે ટ્વીટ કરીને શોક્ વ્યકત કર્યો

50થી વધુ ફિલ્મોના સર્જક એક શાનદાર અભિનેતા પણ હતા
 
 તેલુગૂ સિનેમાના દિગ્ગજ ફિલ્મકાર કે.વિશ્વનાથનું હૈદરાબાદમાં નિધન થઈ ગયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને 2016માં પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે સન્માનથી નવાઝવામાં આવ્યા હતા. આરઆરઆર ફેમ અભિનેતા જૂનિયર એનટીઆરે ટ્વિટ કરીને કે. વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 
 
 તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, વિશ્વનાથ એ લોકોમાં સામેલ છે, જેમણે તેલુગૂ સિનેમાને દેશની બહાર પ્રસિદ્ધિ અપાવી. તેમણે શંકરભરણમ અને સાગર સંગમ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે. તેમનું નિધન એક અપૂર્ણિય ક્ષતિ છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

કે. વિશ્વનાથની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી નહોતી. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1930ના ગુંટૂર જિલ્લામાં થયો હતો. તેમણે 1965માં આત્મા ગૌરવ ફિલ્મ સાથે ફિલ્મ ડિરેક્ટર તરીકે પોતાની ઈનિંગ્સ શરુ કરી હતી. તેમણે પોતાના કરિયરમાં 50થી વધારે ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેઓ ફિલ્મકાર બનતા પહેલા એક શાનદાર અભિનેતા પણ રહી ચુક્યા છે, જેમન તેલુગૂ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમને 2016માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવી ચુક્યા છે. પોતાના કરિયરમાં 10 ફિલ્મફેર એવોર્ડ, પાંચ નેશનલ એવોર્ડ અને પાંચ નંદી એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application