પતિના મૃત્યુના 11 વર્ષ બાદ દુનિયાને કરી દીધી અલવિદા
વિતેલા વર્ષોના તેજસ્વી કલાકારોમાં ગણાતા સ્વર્ગસ્થ અભિનેતા ફારૂક શેખના પત્ની રૂપા જૈને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. શબાના આઝમીએ તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરતા શોક વ્યક્ત કર્યો છે.
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત અને દિવંગત અભિનેતા ફારૂક શેખની પત્ની રૂપા જૈન હવે નથી રહ્યાં. પતિના મૃત્યુના લગભગ 11 વર્ષ બાદ તેણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શબાના આઝમી, જેઓ દંપતીના નજીકના મિત્રોમાંના એક હતા, તેમણે રૂપા જૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.ફારૂખ શેખે 11 વર્ષ પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે તેમની પત્ની રૂપા પણ આ દુનિયાને હંમેશ માટે છોડી ચૂકી છે.
ફારુક અને રૂપાના સૌથી નજીકના મિત્રોમાંથી એક શબાના આઝમીએ જણાવ્યું છે કે આ દુઃખદ સમાચાર 29 ઓક્ટોબરની સવારે આવ્યા હતા. શબાનાએ કહ્યું, 'ફારૂક અને રૂપા કોલેજના સમયથી મારા સૌથી નજીકના મિત્રો હતા. અમે બધા જાણતા હતા કે તેઓ એકબીજા સાથે કેટલા જોડાયેલા હતા. મને નથી લાગતું કે રૂપા ક્યારેય ફારુકના આકસ્મિક મૃત્યુમાંથી સાજી થઈ હોય. તે તેની બે પુત્રીઓની સંભાળ રાખવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરતી રહી.
શબાનાએ કહ્યું- પતિ ગુમાવવાનું દુ:ખ રૂપાને સદાય સતાવતું જ રહ્યું .તેણે કહ્યું કે તે પોતાની એકલતાના અંતની રાહ જોઈ રહી હતી કે એક દિવસ તે પણ તેના પતિ સાથે બીજી દુનિયાની યાત્રામાં જોડાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સમગ્ર અધિવેશન વિશે
April 05, 2025 02:18 PMજામનગરની બજારમાં માટીના ફિલ્ટર માટલા આકર્ષણનું કેન્દ્ર
April 05, 2025 02:06 PMજામનગરના સુવરડા ગામે પ્લેન ક્રેશમાં શહીદ પાઇલોટને અપાઈ શ્રધાંજલિ
April 05, 2025 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech