જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને મળશે રાહત દરે ભોજન

  • February 22, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર રાજકોટ, અમરેલી સહિતના જિલ્લ ાઓમાંથી ખેડૂતો જણસીઓને વેચવા આવે છે ત્યારે તેઓને ભોજન મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલભાઈ ચોવટીયા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ સોજીત્રા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ખેડૂતોને સબસીડીમાંથી ભોજન મળી રહે તે માટે ખેડૂત સહાય યોજના કાર્યરત કરવામાં આવી છે.આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર ૩૦ રૂપિયામાં માર્કેટિંગ યાર્ડમાં જ ભોજન મળી રહેશે. બજાર સમિતિ અને વેપારી મિત્રોના પ્રયાસથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત હિતલક્ષી નિર્ણય  લેવાયો  હોવાનું સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું. ખેડૂતલક્ષી નિર્ણયથી યાર્ડના હોદ્દેદારોની સરાહના કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application