કાલાવડમાં ખેડૂતને વિજ કરન્ટ લાગતા પડી જવાથી મોત

  • February 17, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂતને વીજશોક લાગવાથી નીચે પડી જતાં તેનું ઈજા થવાથી  મૃત્યુ નિપજ્યું  હતું.
કાલાવડ તાલુકાના જસાપર ગામના મહેન્દ્રભાઈ ભીમજીભાઈ કાછડીયા (૩૯)  પોતાની વાડીમાં બાથરૂમની ઉપર સોલાર પ્લેટ ફીટ કરવાનું કામ કરતા હતા ત્યારે વીજ શોક લાગવાથી નીચે પટકાયા હતા. અને ગંભીર  ઈજા થવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે તેના પિતા ભીમજીભાઇ મનજીભાઈ કાછડીયાએ પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ એસ જી જાડેજા દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application