સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક કાદવનો જ્વાળામુખી ફાટતા હાલત કફોડી થઈ ગઈ છે.આજે 72 કલાક પછી પણ ફોલ્ટ મળ્યો નથી. આજે સવારે થોડા સમય માટે ટનલની કામગીરી શરૂ કરાતા ફરીથી જમીનમાંથી કાદવ નીકળવા લાગ્યો હતો. જેથી ટનલની કામગીરી બંધ કરવામાં આવી છે. આજે ફરી જમીનમાંથી કાદવ નીકળતા મેટ્રોના કર્મચારીઓ ફોલ્ટ શોધી રહ્યા છે. બીજી તરફ કાદવ કીચડના કારણે સ્થાનિકોના ઘરને મોટું નુકસાન થયું છે. સાથે જ ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા અસરગ્રસ્તોની હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોલ્ટ મળ્યા બાદ લોકોના મકાનોની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
સુરત માં કાદવનો જવાળા ફાટી નીકળ્યો
— journalist Sharif Shaikh (@PatrkarShaikh) February 13, 2023
સુરત વરાછાના વિઠ્ઠલ નગર વિસ્તારની ઘટના
મેટ્રોની કામગીરીના કારણે ભારે હાલાકી
ડ્રેનેજ લાઈનમાંથી કાદવ આવી રહ્યો છે ઘરમાં
કિચડ બહાર આવતા લોકોને પડી રહી છે હાલાકી#SMC #Surat #Varacha pic.twitter.com/WgYHr1x5Qc
વરાછાની વિઠ્ઠલનગર સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બોરિંગ મશીનથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન જમીનમાંથી જ્વાળામુખીની જેમ મોટાપ્રમાણમાં કાદવ ફૂટી નીકળી ફેલાઈ ગયો હતો. 4 મકાનમાં વોશબેઝિન, લીવીંગ રૂમ, ડ્રેનેજ-પાણી સહિતની લાઇનમાંથી પ્રેશર સાથે કાદવ નિકળ્યો હતો. જેમાં 2 મકાનનું ફ્લોરિંગ ઉંચકાઇ જતા મોટું નુકસાન થતાં શિફટીંગની નોબત આવી છે. આ ઘટનાથી અંદાજે 50થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. મેટ્રોના અધિકારીઓએ અસરગ્રસ્તોને શિફ્ટ કરી હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે આવું તો જિંદગીમાં ક્યારેય નથી જોયું. બારણું ખોલતાંની સાથે જ કાદવની સુનામી આવી હોય એવા દૃશ્યો સર્જાયાં છે. એક ઘરમાંથી નીચેની લાદીઓ પણ ઉખાડી નાખી છે. એટલું પણ ઓછું હતું એમ પહેલા માળે પણ નળમાં કાદન નીકળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech