લોકસભા ચૂંટણીની ટીકીટ ન મળતા તમિલનાડુના ઈરોડના સાંસદ સાંસદ એ.ગણેશમૂર્તિએ કર્યો આપઘાતનો પ્રયાસ

  • March 25, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમિલનાડુના ઈરોડના સાંસદ એ.ગણેશમૂર્તિએ જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ એ. ગણેશમૂર્તિને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ADMK એ ગણેશમૂર્તિ 76 વર્ષના છે. ડીએમકે તરફથી ટિકિટ ન મળતા તેઓ તણાવમાં હતા અને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.


  તમિલનાડુના ઈરોડના સાંસદ ગણેશમૂર્તિએ રવિવારે ઝેર પી લીધું હતું. તે પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. કહેવાય છે કે ગણેશમૂર્તિએ જંતુનાશક ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગણેશમૂર્તિને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હોસ્પિટલે હજુ સુધી તેમના વિશે કોઈ મેડિકલ અપડેટ જાહેર કર્યું નથી. એમડીએમકે નેતાના પરિવારનું કહેવું છે કે ડીએમકેએ તેમને ટિકિટ આપવાનો ઇનકાર કર્યા પછી તે ગંભીર માનસિક તણાવમાં હતો અને તેથી તેણે ઝેર પી લીધું હતું.


2019ની લોકસભા ચૂંટણીમાં, એ ગણેશમૂર્તિએ તેમના AIADMK હરીફ જી મણિમરણને 2,10,618 મતોથી હરાવ્યા હતા. જો કે, આ ચૂંટણીમાં MDMKના સ્થાપક વાઈકોએ તેમના પુત્ર દુરાઈ વાઈકોની ઉમેદવારીનો આગ્રહ રાખ્યો અને ખાતરી કરી કે MDMKને ઈરોડને બદલે તિરુચી બેઠક મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application