રાજકોટ જિલ્લામાં રોગચાળાનો ફૂંફાડો: ચાર હજાર જેટલા દર્દી

  • September 10, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાની સિઝનના કારણે પાણીજન્ય રોગચાળાના પ્રમાણમાં રાજકોટ જિલ્લામાં વધારો થયો છે. ઝાડા ઉલટી, ઝાડા, શરદી તાવ સહિતના ૩૯૫૮ જેટલા દર્દીઓ નોંધાયા છે. રોગચાળો ફેલાશે તેવી ગણતરીએ આગોત આયોજન કરવામાં આવતા કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાથી, પાણીજન્ય રોગચાળા થવાની સંભાવના રહેલી હતી. પરંતુ, સવેળાની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનથી પાણીજન્ય રોગચાળો અટકાવી શકાય છે. રાજકોટ જિલ્લામાં પાણીજન્ય રોગચાળા અટકાયત માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીમ દ્રારા સઘન ઝુંબેશ ચાલી રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. સિંઘના જણાવ્યા મુજબ, ગત ૨૯મી ઓગસ્ટથી જ રાજકોટ જિલ્લાના ૫૯૫ ગામોમાં આરોગ્યની ૭૫૩ ટીમો દ્રારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં આજદિન સુધીમાં ૧૩,૦૨,૪૯૧ વસ્તીમાં ૭૮૯૧૧ વસ્તીમાં કલોરીનની ગોળીઓનું તથા ૨૪૮૯ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ડસ્ટીંગ કામગીરી, ફોગીંગ કામગીરી, સ્વચ્છતા કામગીરી તથા પાણીનો આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યો છે.
સર્વે દરમ્યાન સામાન્ય ઝાડાના ૪૯૩ કેસ, ૩૩ ઝાડા ઉલ્ટીના કેસો તથા શરદી– ખાસીના ૧૯૭૪ કેસો તથા તાવના ૧૪૫૮ કેસોમાં સારવાર આપવામાં આવી છે. ભારે વરસાદથી અસર પામેલા વિસ્તારમાંથી કુલ ૫૪ સગર્ભા માતાઓને હોસ્પિટલે સલામત રીફર કરવામાં આવી છે. આ કામગીરી જિલ્લામાં કુલ ૭૫૩ આરોગ્ય ટીમો દ્રારા કરવામાં આવી રહી છે.
ઉપરાંત કુલ ૩૯ શેલ્ટર હોમમાં રહેતા ૧૦૮૫ લાભર્થીઓમાંથી ૬૪૫ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૪ સગર્ભા માતાઓને જરી આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application