અસલી NCP મામલે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ભત્રીજા અજિતને NCPની મહોર લાગી

  • February 06, 2024 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી પંચે મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેની લડાઈ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો. જેમણે શરદ પવારના જૂથને મોટો ફટકો આપ્યો છે. છ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી સુનાવણીમાં ચૂંટણી પંચે (NCP)માં ચાલી રહેલા વિવાદનું સમાધાન કર્યું. ચૂંટણી પંચે અજિત પવાર જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો અને અજિત પવાર જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું.


અજિત પવારના જૂથને પક્ષનુંનામ અને ચિન્હ

ચૂંટણી પંચે NCPની લડાઈ અંગે 10 થી વધુ સુનાવણી કરી હતી અને આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચૂંટણી પંચે અજીતના જૂથને વાસ્તવિક NCP માન્યું અને તેમને 'NCP નામ અને પ્રતીક' સોંપ્યું.


શરદ પવારને ત્રણ દિવસનો મળ્યો સમય

તમને જણાવી દઈએ કે આગામી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે શરદ પવાર જૂથને તેમના રાજકીય પક્ષ માટે નામનો દાવો કરવા માટે સમય આપ્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે કહ્યું કે તેણે પક્ષના નામ અને ચિન્હ અંગે દાવો કરવાનો વિકલ્પ આપ્યો છે અને બુધવારે બપોર સુધીમાં ત્રણ પસંદગીઓ આપવાનું કહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application