સપડા ગામના યુવાનનું ઉલ્ટીઓ બાદ બેભાન થવાથી મૃત્યુ
જામનગરના એરફોર્સ રોડ, રાજીવનગર કોલોનીમાં રહેતી એક મહિલાએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે જયારે સપડા ગામમાં એક યુવાનનું ઉલ્ટીઓ થયા બાદ બેભાન અવસ્થામાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.
શહેરના ખેતીવાડી વિસ્તાર, રાજીવનગર કોલોનીમાં રહેતા રાજુબેન મેઘજીભાઇ ભરાડીયા (ઉ.વ.77) નામના વૃઘ્ધાએ ગઇકાલે પોતાના ઘરે કોઇપણ કારણસર છતની આડીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે રાજીવનગર કોલોનીમાં રહેતા ભીખા મેઘજીભાઇ ભરાડીયાએ સીટી-સી પોલીસમાં જાણ કરી હતી.
બીજા બનાવમાં જામનગર તાબેના સપડા ગામમાં રહેતા હિતેશ જીવરાજભાઇ ઝાલા (ઉ.વ.44) નામના યુવાનને તેમના ઘરે ઉલ્ટીઓ થતા અને બેભાન થઇ જતા જી.જી. હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. આ અંગે સપડા ગામમાં રહેતા દિલીપભાઇ ઝાલાએ પંચ-એમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech