સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

  • March 11, 2024 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 


મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો માળીયાહાટીના સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે એટલે કે સોમવારે સાંજે 6.20 કલાકે આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા 3.5 હોવાનું સામે આવ્યું છે. 


પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. માળીયા હાટીના પંથકમાં તથા આસપાસના ગામડાઓમાં આંચકો આવ્યો હતો. વંથલી, કેશોદમાં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. તેમજ ગાંધીનગરમાં પણ આંચકો અનુભવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application