ઈયરફોન બન્યા મોતનું કારણ, કાનપુરમાં ટ્રેનની અડફેટે બે મજૂરોના મોત

  • September 28, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલતી વખતે ઈયરફોન પહેરવું લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે અને તેના કારણે દરરોજ અકસ્માતના અહેવાલો સામે આવી રહ્યા છે. આમ છતાં લોકો ચાલતી વખતે ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આવો જ એક કિસ્સો કાનપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં બે મજૂરો માટે ઈયરફોન જીવલેણ સાબિત થયા છે.


મળતી માહિતી મુજબ, આજે સવારે કાનપુરના રેલવે સ્ટેશન પાસે પ્રતાપગઢ-કાનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસની ટક્કરથી બે મજૂરોના મોત થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સમયે મજૂરો કાનમાં ઈયરફોન લગાવીને રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા.


કામદારો લગાવવા જતા હતા ટીન શેડ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં સીતાપુર જિલ્લાના પ્રમોદ યાદવ અને લખીમપુરના રોહિત વિશ્વકર્મા ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ બંને ગૌરીગંજના આંધી ગામમાં નિર્માણાધીન અનાજના ગોદામમાં ટીન શેડ લગાવવા જઈ રહ્યા હતા.

એરિયા ઓફિસરે કહ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application