ઈડી મારા પર દરોડાની તૈયારી કરી રહી છે: રાહુલ

  • August 02, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સૂત્રોએ જણાવ્યું કે ઈડી દરોડાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી રાતે બે વાગ્યે આ પોસ્ટ કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ લખ્યું, બેમાંથી એકને મારું ચક્રવ્યૂહવાળું ભાષણ પસંદ ન આવ્યું. ઈડીનાં સૂત્રો પાસેથી મને જાણકારી મળી છે કે દરોડાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે લખ્યું, હું ખુલ્લા દિલે રાહ જોઈ રહ્યો છું અને નાસ્તો મારી તરફથી મળશે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં ઈડીને પણ ટેગ કરી છે. રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન મહાભારતના ચક્રવ્યૂહનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. નેતા વિપક્ષ રાહુલે કહ્યું હતું, મહાભારતમાં અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને છ લોકોએ માયર્િ હતા. ચક્રવ્યૂહનું બીજુ એક નામ થાય છે પદ્મવ્યૂહ. 21મી સદીમાં એક નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે, તે પણ કમળના ફૂલના આકારમાં છે અને તેનું નિશાન વડા પ્રધાન પોતાની છાતી પર લગાડીને ચાલે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંદુસ્તાનના યુવાનો, ખેડૂતો અને માતા-બહેનોને પણ અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવી રહ્યાં છે. રાહુલે કહ્યું હતું, આજે પણ ચક્રવ્યૂહનું છ લોકો જ નિયંત્રણ કરી રહ્યા છે. આજના ચક્રવ્યૂહને નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી નિયંત્રણ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application