પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટે પીવો આ ડ્રિંક

  • September 02, 2024 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સવારની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે વજનને નિયંત્રિત કરવા માંગતા હોય. જો વજન ઓછું કરવું હોય તો ચા કે કોફીની જગ્યાએ વિનેગર પાણીનું સેવન કરો. એપલ વિનેગરને અંગ્રેજીમાં Apple Cider Vinegar કહે છે. રોજ પાણીમાં એપલ સીડર વિનેગર મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. એપલ સીડર વિનેગરનું પાણી સવારે ખાલી પેટ પીવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી દૂર થાય છે. એટલું જ નહીં આ પીણાનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રાખવામાં પણ મદદ મળે છે. આ પીણાનું સેવન કેવી રીતે અને કોણે કરવું જોઈએ?


1. સ્થૂળતા-


દરરોજ સવારે હૂંફાળા પાણીમાં એપલ સીડર વિનેગર ભેળવી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. તે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરી શકે છે.


2. પાચન-


જો પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો આ પીણાનું સેવન કરી શકો છો. સફરજન સીડર વિનેગર સાથે પાણી પીવાથી પાચનતંત્રને સારું રાખવામાં મદદ મળે છે.


3. બ્લડ સુગર-


સફરજનના વિનેગરનું પાણી બ્લડ સુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


4. કોલેસ્ટ્રોલ-


એપલ સીડર વિનેગર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરી શકે છે. દરરોજ આ પીણું પીવાથી સારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.


5. રોગપ્રતિકારક શક્તિ-


એપલ સીડર વિનેગર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેને સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો.


6. ત્વચા-


એપલ સીડર વિનેગર ખીલ અને સ્કિન ઇન્ફેક્શન જેવી ત્વચાની સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ સવારે ખાલી પેટ આ પીણાનું સેવન કરીને ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application