ભૂલથી પણ આ ફળો અને શાકભાજીને ન રાખો ફ્રીજમાં , નહીં તો થશે ગંભીર નુકસાન

  • January 11, 2023 04:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

જ્યારથી રેફ્રિજરેટર આવ્યું છે, ત્યારથી લોકો તાજા ફળો અને શાકભાજી ખાવાનું ભૂલી ગયા છે. ફ્રિજ ખોરાકને બગાડતા અટકાવે છે. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેને ઘણા દિવસો સુધી બગાડથી બચાવી શકાય છે. ખાસ કરીને ફળો અને શાકભાજી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. પરંતુ કેટલાક ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વસ્તુઓને ફ્રીજમાં રાખવાનું ટાળો. આવો જાણીએ કઇ વસ્તુઓ ફ્રીજમાં ન રાખવી જોઇએ.

કાકડી

કાકડીમાં ઠંડકની અસર હોય છે. જ્યારે ફ્રીજમાં રાખવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઠંડુ થઈ જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સડવા લાગે છે, આવી કાકડી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ટામેટાં

ટામેટાંને ફ્રીજમાં રાખવાનું ટાળો. ફ્રીજમાં રાખેલા ટામેટાં ઝડપથી બગડી શકે છે. આનાથી ટામેટાંનો સ્વાદ અને પોષણ પણ ઘટે છે.

બટાકા

બટાકાને ફ્રીજમાં રાખવું યોગ્ય નથી. બટાકાને ઠંડીમાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચમાં ફેરફાર થાય છે. આવા બટાકાનો ટેસ્ટ મીઠો બને છે. ફ્રિજમાં બટાકા ઝડપથી સડવા લાગે છે.

લસણ

લસણને ફ્રીજમાં રાખવાનું ટાળો. તેને બંધ જગ્યાએ રાખવાથી ઝડપથી બગડવા લાગે છે. લસણ ફ્રીજમાં રહેલા ભેજને શોષી લે છે. લસણને ફ્રીજમાં રાખવાથી અન્ય શાકભાજીમાં પણ દુર્ગંધ આવી શકે છે. 

ડુંગળી 

ડુંગળીને હવાવાળી જગ્યાએ રાખવી જોઈએ. જ્યારે ડુંગળીને ફ્રિજ જેવી બંધ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે તે અંકુરિત થવા લાગે છે અથવા તે સડીને બગડી જાય છે. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી દુર્ગંધ પણ આવવા લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application