શિયાળાની ઋતુ આવતાની સાથે જ લોકો પોતાના શરીરને ગરમ રાખવા માટે અનેક પદ્ધતિઓ અપનાવે છે. ઠંડીથી બચવા માટે ઊનના કપડાં કે મોજાં પહેરીને સૂવું સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે મોજાં પહેરીને સૂવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેનાથી શરદીથી રાહત મળે છે, પરંતુ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કે ઠંડીના દિવસોમાં મોજાં પહેરીને સૂવું કેમ જોખમી છે, તેનાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.
ઠંડીમાં મોજાં પહેરીને સૂવાના ગેરફાયદા
પગમાં પરસેવો થવો
શિયાળામાં જો તમે આખો દિવસ મોજાં પહેરો છો અથવા રાત્રે મોજાં પહેરીને સૂઈ જાઓ છો તો તેનાથી પગમાં પરસેવો થાય છે, જેનાથી ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. જેના કરણે ત્વચાને નુકસાન થઈ શકે છે.
પગમાં દુખાવો
મોજાં પહેરવાથી પણ પગમાં દુખાવો થઈ શકે છે. ખાસ કરીને જો તમને પહેલાથી જ તમારા પગમાં સમસ્યા છે તો તે વધી શકે છે. મોજાં પહેરવાથી બેક્ટેરિયલ ચેપ પણ થઈ શકે છે, જે તમારા પગમાં દુખાવો અને બળતરા પેદા કરી શકે છે.
ઊંઘની નબળી ગુણવત્તા
મોજાં પહેરવાથી તમારી ઊંઘની ગુણવત્તા પણ બગડી શકે છે, કારણ કે પગમાં ગરમી અને પરસેવો ઊંઘમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અધૂરી ઊંઘ અન્ય ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
ત્વચાની સમસ્યાઓ
એલર્જી-અગવડતા
જો તમે ઠંડા વાતાવરણમાં ઊનના મોજા પહેરીને સૂતા હોવ તો હાથ અને પગમાં એલર્જી થવાનું જોખમ રહેલું છે. જેના કારણે રક્ત પરિભ્રમણમાં સમસ્યા થઈ શકે છે. ખૂબ ચુસ્ત મોજાં પહેરવાથી લોહીનો પ્રવાહ ધીમો પડી શકે છે. આ ચેતા પર દબાણ લાવે છે અને હૃદયની તંદુરસ્તી બગડી શકે છે. આ ઓવરહિટીંગનું કારણ બની શકે છે, જેના કારણે રાત્રે બેચેની થઈ શકે છે.
ઠંડીમાં મોજાં પહેરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?
તમે વૂલન મોજાંને બદલે કોટનનાં મોજાં પહેરી શકો છો. આને પહેરીને સૂવાથી રાત્રે નુકસાન થવાનું જોખમ ઘટી જાય છે.
બહુ ચુસ્ત મોજાં ન પહેરો, સ્વચ્છતા પર ધ્યાન આપો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech